Connect with us

સુરેન્દ્રનગર

થાનગઢનાં સિરામીક કારખાનાઓમાં પાણી ભરાયા

Published

on

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, થાનગઢ પંથકમાં લાંબા વિરામ બાદ બે દિવસથી મેઘમહેર થઇ રહી છે. ત્યારે આજે અસહાય ઉકળાટ વચ્ચે બપોર બાદ એકાએક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા ઠેક ઠેકાણે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે થાનગઢમાં સતત વરસતા વરસાદે તારાજી સર્જી હતી. અનેક સિરામીક કારખાનાઓમાં પાણી ભરાતાં લાખોનું નુકસાન થતું જાણવા મળ્યું છે. મળતી વધુ માહિતી અનુસાર સિરામીક હબ ગણાતા થાનગઢમાં વરસાદના કારણે અનેક સિરામીક કારખાનાઓમાં પાણી ઘુસતા લાખો રૂપિયાનુ નુકસાન થયું છે. ત્યારે નોટ બંધી GST ઇવેબિલ અને મંદીના કારણે સિરામીક ઉદ્યોગ મૂર્ત પાય બની ગયો છે. ત્યારે પડ્યા પર પાટું જેવા દ્રષ્ય સર્જાયા છે. દર વર્ષે કરોડો રૂપિયાનો G,S,T ટેક્સ સરકારમાં ભરવામાં આવે છે. આ બાબતે સરકારને ગંભીર નોંધ લઇને નુકસાન પામેલા કારખાનાઓને વળતર મળે તેવી કારખાનદારોમાં માંગ ઉઠવા પામી છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

સુરેન્દ્રનગર

મહિનામાં 3 વાર પાણી આવ્યું છે, તે પણ અપૂરતું : ગ્રામજનો

Published

on

Water comes 3 times a month, it is also insufficient: villagers

લખતર તાલુકાનાં સદાદ ગામે પાણીની કપરી પરિસ્થિતિનાં કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાયેલી છે. આ અંગે તંત્રને અનેક રજૂઆતો તેમજ અધિકારીઓની રૂબરૂ મુલાકાત બાદ પણ પાણીનો પ્રશ્ન હલ ન થતાં મહિલાઓ રોષે ભરાઈ હતી.સરપંચે અગાઉ લખતર મામલતદારને લેખિત રજૂઆત પણ કરી હતી. ત્યારબાદ ગામમાં મામલતદાર, ટીડીઓ તેમજ પાણી પુરવઠાના અધિકારીઓ સંપની મુલાકાત કરવા આવ્યા હતા. ત્યારબાદ માત્ર 1 દિવસ અપૂરતું પાણી આપ્યું હતું. જેથી ગામની જરૂરિયાત પૂરી થાય તેવી પરિસ્થિતિ ન હોવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો.સંપમાં ધીમે ધીમે પાણી શરૂ થતાં સાંજના 6 વાગ્યાના સુમારે ગામની મહિલાઓ સંપે પાણી ભરવા આવી હતી.

Water comes 3 times a month, it is also insufficient: villagers

પરંતુ લગભગ પાંચેક મિનિટ એક બેડું ભરાઈ તેટલું ધીમે પાણી આવતું હોવાથી મહિલાઓમાં કચવાટની લાગણી ફેલાઇ હતી. આ અંગે ગામનાં રંજનબેન, ગૌરીબેન, ભાવનાબેન વગેરે જણાવ્યું કે છેલ્લાં એકાદ મહિનામાં 3 વખત માંડ પાણી આવ્યું છે. તે પણ અપૂરતું છે. લોકોને પણ પાણી પૂરું પડતું નથી તેવામાં ઢોર ઢાંખરનું શું? પાણી ન આવતાં બહુ જ અગવડતા વેઠવી પડે છે.સરપંચ વીરમભાઈ રબારીએ જણાવ્યું કે, અમારા ગામમાં પાણી ન આવતું હોવાની રજૂઆત સતત 6 દિવસ સુધી પાણી પુરવઠામાં કરતા સાતમા દિવસે અધિકારીઓ મુલાકાતે આવેલ અને પાણી આપ્યું હતું. તે પણ અપૂરતું હતું. અમારા ગામમાં લોકો માટે 70,000 લીટર તેમજ પશુઓ માટે 20,000 લીટર પાણીની જરૂરિયાત થઈને કુલ 90,000 લીટર પાણીની જરૂરિયાત છે. તેની સામે હાલમાં 10,000 લીટર પાણી પણ ગામમાં મળતું નથી. આ અંગે અનેક રજૂઆતો કરી છે હવે જો 2 દિવસમાં પૂરતું પાણી નહીં મળી રહે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

Continue Reading

સુરેન્દ્રનગર

ગામ દ્વારા સામૂહિક વીજ બિલ ભરવાના બહિષ્કારની ચીમકી

Published

on

Village boycott of mass electricity bill

વઢવાણ તાલુકાના ખેરાળી ગામમાં ગ્રામજનો દ્વારા 2015થી વીજપ્રશ્નોની અનેકવાર રજૂઆતો કરવા છતાં હલ ન થતા રોષ ફેલાયો છે. આથી સોમવારે સરપંચ સહિત ગ્રામજનો દ્વારા વડાપ્રધાન સહિત ઉચ્ચકક્ષાઅે લેખિતમાં રજૂઅત કરી વીજ અધિકારીને આવેદન આપ્યું હતું. વઢવાણ તાલુકાના ખેરાળી ગામમાં અંદાજે 7500 લોકોની વસ્તી વસવાટ કરી રહી છે.ત્યારે 2015થી લઇને આજદિન સુધી વીજપુરવઠાનો પ્રશ્ન હલ ન થતા લોકોમાં રોષ ફેલાયો છે. આ અંગે ગામના સરપંચ જુવાનસિંહ ડોડીયા, ચાવડા હર્ષદભાઈ, મકવાણા ગૌતમભાઈ, ચમનભાઇ પારઘી સહિતના ગ્રામજનોઅે લેખિતમાં વડાપ્રધાન તેમજ ગાંધીનગર અને જિલ્લાકક્ષાના જુદા જુદા વિભાગોને રજૂઆત સાથે વીજ અધિકારીને સોમવારે આવેદન આપ્યું હતું.

Village boycott of mass electricity bill

જેમ‍ાં જણાવ્યા મુજબ ગામમાં વારંવાર વીજપુરવઠો ખોરવાઇ જવા, વીજ સેવા નિયમોનુસાર પૂરી ન પાડવા, અધિકારીઓ દ્વારા ઉદ્ધતાઇભર્યું વર્તન તથા જવાબ આપવા રજૂઅાત કરાઇ હતી.આ ઉપરાંત ગામથી 1.5 કિમી દૂર આવેલા જેટકો સબ સ્ટેશનથી અલગ ફિડર કરવા, પાયલોટ પ્રોજેકેટ બનાવી ખેરાળી સુધી ફીડર લાઇન અંડર ગ્રાઉન્ડ કરવાની દરખાસ્ત-પ્રપોજલ બનાવવા નવીનતમ પ્રયોગ હાથ ધરવા અને છેલ્લા 7 વર્ષથી ગ્રામજનો જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેનો કાયમી નિરાકરણ લાવવાની માગ કરી હતી.અને જો કોઇ પગલા લેવામાં નહીં અાવે તો ન છૂટકે સંવૈધાનિકક લડત કરવાની તેમજ ગામ અને ગ્રામપંચાયત દ્વારા વીજવિભાગ વિરૂધ્ધ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. સમગ્ર ગામ દ્વારા સામૂહિક રીતે વીજ બિલ ભરવાનો બહિષ્કાર કરવાની ચીમકી આપતા ચકચાર ફેલાઇ હતી.

Continue Reading

સુરેન્દ્રનગર

વધેલું સારું ભોજન ભૂખ્યા સુધી પહોંચાડવાનો પ્રયાસ

Published

on

Trying to deliver increased good food to the hungry

સુરેન્દ્રનગરમાં મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 2019માં રોબીન હુડ આર્મી થકી એક સેવાકાર્ય શરૂ કરાયુ હતુ.જેમાં સેવાભાવી સંસ્થાન લોકોની મદદથી ભુખ્યાને ભોજન કરાવાય છે. કોઇ પ્રસંગોમાં વધેલુ ભોજન બગાડ ન થાય માટે જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની સેવા 20 હજાર લોકોને ભોજન પૂરું પાડતું સેવાનું વટવૃક્ષ બની ગયુ છે.યુરોપીયન દેશીમાં પ્રચલીત છે રોબીન હુડ નામનો બહારવટીયો જે રાજાઓ અને અમીરોને લુંટી ગરીબ અને જરૂરીયાત મંદોને મદદ કરતો હતો.ત્યારે સુરેન્દ્રનગર ખાતે ઓગસ્ટ-2019 માં મેડીકલ કોલેજ ના અમુક વિદ્યાર્થીઓ દ્વારા અને પછી ડો દિવ્યરાજસિંહ પરમાર રોબીનહુડ આર્મી બનાવાઇ છે.જે ગરીબ બાળકોને દર અઠવાડિયે ગરમ–તાજું તથા સ્વાથ્યવર્ધક ભોજન કરાવેછે.જે નાનકડી શરૂઆત આર્મી બની હવે 20,000 લોકોને ભોજન પુરૂ પાડતુ વડવૃક્ષ બની ગયુ છે.

Trying to deliver increased good food to the hungry

જેમાં 50થી વધુ રોબીનજેઓ કોમ્પયુટર એન્જીનીય રિદ્ધિ દવે અને બંસી કોટેચા, ટીસીએસ ઇન્ફોસીસ જેવી ખ્યાતનામ IT કંપની માં કામ કરે છે.દીપ વડનગરા અને પાયલબેન ડોક્ટર, ધવલભાઈ શિક્ષક છે તો વ્યોમ કે તેજસ્વી હજુ 10-12 ધોરણ માં ભણે છે. ઘણી વાર મોટા જથ્થા માં ભોજન વિતરણ કરવાનું હોય તો મેડીકલ કોલેજ ના વિદ્યાર્થી /વિદ્યાર્થ ીની ઓ સ્વયમસેવક તરીકે જોડાય છે.આ અંગે સ્વયંસેવકોએ જણાવ્યુકે કોરોનાની બીજી લહેરમાં વિદેશથી અનેક લોકોએ લાખો રૂપિયાની સામગ્રી પૂરી પાડેલી તેનાથીએ સમયમાં જેઓના કામ ધંધા બંધ હતા તેવા અનેક પરિવારોને અનાજ, તેલ વગેરે કીટ, સ્વચ્છતા માઠે રોબીન મહિલા ગ્રુપે રી-યુજેબલ સેનેટરી નેપકીન્સના વિતરણની ઝુંબેશપણ ચલાવેછે .કોરોના સમયમાં જરૂરીયા તમંદોને ટીફીન, ઓક્સીજન બોટલ, વૃધ્ધોની દેખરેખ, રસીકરણ, માસ્ક વિતરણ સેવાઆપી હતી.સંસ્થા રોટી ડે ઉજવણી કરી લોકોને વ્હોટ્સએપથી રોટલી દાન કરવાનુ કરી કેત્ર કરી ભુખ્યાલોકોને ભોજન અપા છે. જ્યારે 9409043 060 નંબર જાહેર કરાયો છે.જેમાં વધારાનો ખોરાક હોય તો નજીકના રોબીન હુડ આવી તે ભોજન યોગ્ય સ્થાને વહેચણીની સેવા આપે છે.

Continue Reading
Uncategorized52 mins ago

સૂર્યાસ્તનો સુંદર નજારો જોવો હોય તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો

Uncategorized2 hours ago

વોટ્સએપ પર હવે ગાયબ નહીં થાય સ્ટેટસ! 24 કલાક પછી અહીં સાચવવામાં આવશે; નવી સુવિધા જાણો

Uncategorized3 hours ago

દરરોજ લાખો કમાવે છે આ મહિલા, બસ કરે છે આ સરળ કામ, એક કલાકનો ચાર્જ સાંભળીને ચોંકી જશો

Uncategorized4 hours ago

કૃતિ સેનનની વ્હાઇટ પર્લ સાડી લુકથી હટશે નહીં નજર, પાર્ટી માટે છે પરફેક્ટ

Uncategorized5 hours ago

માત્ર એક જ પ્રકારની ઓમલેટ ખાઈને કંટાળી ગયા છો તો બનાવો આ સ્વાદિષ્ટ ટમેટાની ઓમલેટ

Uncategorized7 hours ago

IPLમાં 890 રન અને 3 સદી! છતાં પણ શુબમન ગિલ માટે WTC કેમ મુશ્કેલ બનશે? સ્વયં જાહેર કરી

Uncategorized7 hours ago

Jee Karda Trailer : તમન્ના ભાટિયા પ્રેમને લઈને મૂંઝવણમાં દેખાઈ, પ્રથમ હિન્દી વેબ સિરીઝનું ટ્રેલર થયું રિલીઝ

એન્ટરટેનમેન્ટ7 hours ago

આદિપુરુષની ટીમ દરેક થિયેટરમાં 1 સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરશે.

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized4 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized4 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized4 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

એન્ટરટેનમેન્ટ4 days ago

સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સ્થાન કોણ લેશે?

લાઈફ સ્ટાઇલ5 days ago

રસોડામાં છુપાયેલા કોકરોચ તમને બીમાર કરી શકે છે, તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયો

Uncategorized3 days ago

ભારતનો નાયગ્રા ધોધ છે આ સ્થળ , સાહસનો મળશે પૂરો ડોઝ

Trending